Posts filed under ‘શ્રી કલીકુંડ તીર્થ ધોળકા’

”શ્રી કલીકુંડ તીર્થ ધોળકા”(Slide Show)

November 18, 2009 at 2:30 pm Leave a comment

”શ્રી કલીકુંડ તીર્થ ધોળકા”(60 Pictures)

એક સમય હતો જ્યારે બારમી સદીમાં ગુજરાતની ખુબ જાહોજલાલી હતી અને ધોળકા તેની પાટનગરી હતી ત્યારે તે સમૃધ્ધિની ટોચપરહતી. ધવલક્કરપુર-ધોળકા વગેરે અનેક નામોથી પ્રખ્યાત આ નગરી પોતાના અંતરમાં એક ઇતિહાસ સાચવીને બેઠી છે.ધોળકા મહાભારત કાળનું વિરાટ નગર હતું.કહે છે કે પાંડવો અહીં ગુપ્તવેશમાં આ નગરમાં રહ્યા હતા.

ધોળકામાંજૈનોનીવસ્તીપણહજારોમાંહતી.ત્યારેસ્વાભાવિકદેરાસરો અને પૌષધશાળાઓ પણ વિપુલ પ્રમાણમાં હતી.લગભગ ૧૦૮ દેરાસરો અને ૮૦ જેટલી પૌષધશાળા ધરાવતા આ નગરની નજીક અને અમદાવાદથી લગભગ ૩૦ કી.મીટર અંતરે આવેલા કલિકુંડનું પણ આજે એટલું જ ધાર્મિક મહત્વ છે.

આઠસો વર્ષના ગાળા દરમ્યાન અહીં ધણું લૂટાયું-ધણું ગયું છે અને છતાંય આજે અહીં આ કલિકુંડના દેરાસરમાં કલિકુંડ પાર્શ્વનાથ ભગવાન,શ્રી આદિનાથ ભગવાન અને શ્રી શીતલનાથ ભગવાન ભક્તોની ભાવઠ ભાંગતા હાજરાહજૂર છે.

કલિકુંડ દેરાસરમાં શ્રી કલિકુંડ પાર્શ્વનાથ ભગવાનની ૨૨૦૦ વર્ષ પ્રાચીન ૩૫ ઇંચ ઉંચી શ્વેતવર્ણ પધમાસનસ્થ પ્રતિમાજી ૨૯ ઇંચ પહોળા અરિકર વચ્ચે બિરાજમાન છે.કલિ પર્વત અને કુંડ નામના સરોવરની મધ્યમાં આ જિનાલય બનાવ્યું હોવાથી એનું નામ ”કલિકુંડ” આપવામાં આવ્યું.કલિકુંડ દેરાસરની સામે દાદાવાડી છે.

શ્રી કલિકુંડ દેરાસરની પાસે એક લાખ ચોરસ ફૂટ જમીન ઉપર શ્રી શત્રુંજય તીર્થ ઉભું કરાયું છે.૪૫ ફૂટ ઊંચા આ ગીરીરાજ પર્વત ઉપર ૨૫ હજાર ચોરસ ફૂટમાં મંદિરોની નગરી જાણે ઉભી થઇ છે.પાલીતાણા ન જઇ શકતા જૈનો અહીં યાત્રા કરીને સંતોષ માને છે.

કલિકુંડ જેવા તીર્થ સ્થાને જવાથી જે મનને અપાર શાંતિ મળે છે તે તો જાતે જ જઇને અનુભવી શકાય.

આલેખન-રાજુલ શાહ.

ફોટોગ્રાફી - કલ્યાણ શાહ.

November 17, 2009 at 7:16 pm 2 comments


Recent Posts

Flickr Photos

LETS SWING MY VALENTINE

LETS SWING MY VALENTINE

LETS SWING MY VALENTINE

DSC_6128

More Photos
© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain.
free counters

Blog Stats

  • 4,585 hits

Follow

Get every new post delivered to your Inbox.